pub-8726264906223836 વિચારોની વનમાળા: Teachers Day

Sunday 5 September 2021

Teachers Day

#teachersday 

સાચું કહું તો મેં કોઈ દિવસ કોઈ જ ગુરુને કોઈ પણ પ્રયુક્તિ અજમાવીને વંદન નથી કર્યા. (સોશિયલ મીડિયામાં સાથે જોડાયેલા ગુરુ શિક્ષકો જો આ પોસ્ટ વાંચશે તો મારી વાતને હામી ધરશે.)
હા પણ એવું નથી આ બાબતો પ્રત્યે આદર નથી કે વિરોધી છું.
પરંતુ એટલે કે કેટલાને અલગ અલગ કહેવું? જ્યારથી સમજતી થઈ, ગુરુના મહત્વને જાણ્યા પછી એક નિયમ રાખેલો.
ગુરુ દિવસ હોય ત્યારે આખા દિવસમાં જ્યારે પણ સમય મળે ગુરુમંત્ર બોલવું અને એક સિમ્પલ વાક્યમાં પ્રભુ પ્રાર્થના કરવી કે, ' મારા જીવનમાં ગુરુતુલ્ય જ્ઞાન અને મૂલ્ય વધારનાર, નિમિત્ત બનનાર સૌ વ્યક્તિનું ભલું થજો.'
આવું એટલે નક્કી કરેલું કે, જ્યારે આપણે ગુરુને વંદન કરીએ છીએ ત્યારે આભાર વ્યક્ત કરતા હોઈએ અને કહેતા હોઈએ કે 'આભાર તમારો તમે અમારા જીવનમાં આવ્યા અને જ્ઞાનરૂપી જ્યોત પ્રગટાવી.' તેમણે જ્ઞાનતેજ પ્રસરાવવા બદલ કર્મ આદર્યા અને એ કર્મના હિસાબ તો ઉપરવાળો કરવાનો છે. તો કેમ ને આપણે જ એ ઉપરવાળાને ગુરુના કર્મોને ઈશ્વર સુધી સીધા પહોંચાડી દઈએ. છેલ્લે આપણા અંતરની અભિલાષા પહોંચશે તો ત્યાં જ. (આ તો મારા વિચારો છે અને મારું અમલીકરણ છે એમાં કોઈ બંધનકર્તા નથી એટલે એવું કરું છું અને કરવું જોઈએ એવા આગ્રહને પણ નથી માનતી.)
ઘણા એવું પણ માનતા હશે કે અમુક રિવાજો કે પ્રથા ચાલુ રાખવી જોઈએ જેથી આવનારી પેઢીમાં મહત્વતાનું સિંચન કરી શકાય.
પણ મારા જેવા અપવાદો બધે હોય જ ને! 😉
 
મેં કોઈ બીબાઢાળ ડીગ્રીઓ તો નથી મેળવી પણ અનુભવ, જ્ઞાન અને અમુક ફોર્મલ પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીઓ સાથેના આ જ્ઞાન પરિવહનના ભંડારમાં ઝંપલાવ્યું.
હું હજુ પણ મારી જાતને શિક્ષક કે ગુરુની ઉપાધિ આપી શકવા સક્ષમ નથી, કારણ ? જે ખુદ હજુ જ્ઞાન, અનુભવ, પરમાર્થની ક્ષિતિજો પ્રાપ્ત કરવા ફાંફાં મારતી હોય તેને ઉપાધિ ન લેવી જોઈએ. 

એક ટિપિકલ પ્રથા અને બોલી છે, જીવનના દરેક તબક્કે, દરેક વ્યક્તિ પાસેથી, દરેક સંજોગોમાં કઈકને કઈક શીખવા મળે છે. અને એટલે જ જીવનના કોઈ પણ તબક્કે આપણે બોધપાઠ પ્રાપ્ત થાય તે નિમિત્ત પાત્રને શિક્ષક દિવસે ગુરુતુલ્ય માની આભાર કે વંદનની પ્રસ્તુતિ રજૂ કરતા હોઈએ છીએ. 

છેલ્લાં ત્રણ વર્ષથી મારી શિક્ષક તરીકેની અનાયાસે ઉપજેલી યાત્રા શરૂ થઈ છે એમાં શિક્ષક દિવસ કે ગુરુપૂર્ણિમા હોય એટલે શુભેચ્છાઓની ભરમાર હોય. મારી શૈક્ષણિકયાત્રા પણ ખૂબ લાંબી રહી, બલ્કે અભી ભી ચાલુ હૈ. જેણે મને ભણાવ્યા છે એ તો ખરાં પણ એમના સિવાયના શિક્ષકોએ પણ મને વિદ્યાર્થિની જેમ પાઠ ભણાવ્યા છે.

પ્રતિવર્ષ સરેરાશ 150 થીવધુ વિદ્યાર્થીઓ મારી પાસે આવીને ગયા હશે. મેં ઘણાને પાઠ ભણાવ્યા છે.. તીખાં, મધુરાં, કડવા બધા જ..... 😜😁
પણ છતાંય આ ખાસ દિવસો પર શુભેચ્છાઓનો ધસમસતો પ્રવાહ મારી સામે, મારી પાસે વહેતો રહ્યો છે.
ખરેખર આ પ્રવાહમાં રીતસર આભાસ થાય કે આપણે કોઈ દેવીદેવતા છીએ જે સહુના કલ્યાણ કરવા પૃથ્વી પર અવતરિત છે. (ખયાલી પુલાવ પકાવવાની કોઈને મનાઈ થોડી હોય એમાં આપણે પાછળ કેમ રહીએ!?)😂

એ અનુભવોમાં મેં ઘણું નિરીક્ષણ કર્યું છે કે, 
1. અમુક મારા જેવા હોય જે શિક્ષકોને ખૂબ માનભરી દૃષ્ટિએ સમજતા હોય પણ આ દિવસોમાં યાદ કરવા ફોર્મલ ન બને
2. અમુક ગુરુ માનતા ન હોય પણ માર્કસની અપેક્ષાએ ટોટલ ફોર્મલ બનતા હોય
3. અમુક રીતસરના બાજોઠે કંકુ ચાલ્લાના શણગારથી સજાવે, જે એવું માનતા હોય કે આપણે કશુંક શીખ્યા છીએ તો (ફોર્માલિટી) સોરી પ્રથા નિભાવવી જ પડે હો!
4. અમુક કે જે 'રાત ગઈ બાત ગઈ' જેવું કે ભણવાનું પત્યું એટલે (ફોર્માલિટી) સોરી પ્રથાને તિલાંજલિ આપી દે
5. અમુક તો જ્યારે ભણતા હોય ત્યારે જ એવું ન સમજતા હોય કે આપણા ગુરુ કોઈ હોઈ શકે, એ લોકો વિચારે કે જે શિખડાવે છે તે એના બદલે કોઈ પણ સ્વરૂપે વળતર મેળવી રહ્યા છે, એમની ફરજમાં આવે આ બધું.

પણ મને તો બધા પ્રકારના વિદ્યાર્થીઓ ગમે છે. કારણ કે ગુરુને ગમોઅણગમો ન રાખવો જોઈએ તો જ વિદ્યાદાન નિસ્વાર્થ આપ્યું ગણાય. 😇

મને અત્યાર સુધી મળેલા મોસ્ટ કોમન વાક્યો: 

▪️"મેડમ તમે અમારા ફ્રેન્ડ કમ ટીચર છો."❤️
▪️"મેડમ તમે અમારા ડિપાર્ટમેન્ટ ના યંગેસ્ટ ગુરુજી છો." 🥰
▪️"તમે ગુસ્સાવાળા પણ સાચા મેંટર છો.(એકે તો confess કરેલું મિસ તમે ગુસ્સો કર્યો તે દિવસે તમને મારી નાંખવાનો મન થયેલો પણ તમે બચી ગયા.)" 🥳

(વાક્યો સારું ખરાબ લગાડવા નહિ, યાદગીરી માટે મૂક્યા છે.) Views are personal.
Date: 5.9.21

No comments:

Post a Comment